મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા સમજાવો.
મધમાખીમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયાને એકકીય અને દ્વિકીય પ્રક્રિયા પણ કહે છે.
ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળપ્રાણી બનવાની ઘટનાને અસંયોગીજનન (parthenogenesis) કહે છે.
અસંયોગીજનનથી ઉત્પન્ન થતી જાત અસંયોગજ (parthenoge) કહેવાય છે. તે નર તરીકે વિકસે છે તેને ડ્રોન (drone) કહે છે. આ કીટકો $32$ રંગસૂત્રો પૈકી ફક્ત $16$ રંગસૂત્રો ધરાવે છે.
સંતતિ જો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા (queen - રાણી worker-કાર્યકર) તરીકે વિકસે છે. માદા જયારે સામાન્ય પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે ત્યારે તે એકકીય $(16)$ હોય છે.
આને એકકીય-દ્વિકીય (heplo-diploid) જાતિ નિશ્ચયન તંત્ર કહે છે. નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદામાં અર્ધસૂત્રીભાજન થતું જોવા મળે છે.
સાચા વિધાનને ઓળખો.
તિતિધોડામાં કયા પ્રકારનું લિંગી નિશ્ચયન જોવા મળે છે?
લિંગી રંગસૂત્રના સંદર્ભે બે ભિન્ન પ્રકારનાં જન્યુઓ શેનાં દ્વાર ઉત્પન્ન થાય છે ?
નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?
જો કોઈ દંપતીને $5$ સંતાનો છોકરી હોય તો છઠ્ઠુ સંતાન નર આવવાની સંભાવના કેટલી?